પિત્તાશયની પથરી અને માનસિક તકલીફથી કંટાળીને વૃધ્ધાએ ઝેર પી આત્મહત્યા કરી
સોરઠીયા પ્લોટમાં બનાવઃ કારીબેન વણકરે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૮: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટ-૫માં રહેતાં કારીબેન વીરજીભાઇ ગર (ઉ.૬૫) નામના વણકર વૃધ્ધાએ રાત્રે એક વાગ્યે કપાસમાં છાંટવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. કોડીયાતર અને રાઇટર હિરેનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર કારીબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ વિરજીભાઇ નિવૃત જીવન ગાળે છે. કારીબેનને પિત્તાશયમાં પથરી હતી તેનો દુઃખાવો સહન થતો નહોતો અને માનસિક રીતે પણ તેઓ અસ્વસ્થ થઇ ગયા હતાં. આ કારણે કંટાળી જઇ આત્મહત્યા કરી લીધાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)