પરસાણાનગરમાં ર૪ લાખના ખર્ચે રસ્તાઓ ટનાટન બનશે
વોર્ડ નં. ૩નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, ગીતાબેન તથા દિલીપ આસવાણીના પ્રયત્નો સફળ
રાજકોટ તા. ૯ :.. તાજેતરમાં થયેલ અતિવૃષ્ટીના કારણે શહેરના વોર્ડ નં. ૩ ના પરસાણાનગર વિસ્તાર રસ્તાઓનું ધોવાણ થય જવા પામેલ હતું જે અનુસંધાને નાના-મોટા પ્રશ્નોને કાયમી ગંભીરતા પુર્વક વાચા આપતા એવા વોર્ડના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરબીયા સાથે વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારા દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવેલ હતી જે પૈકી પરસાણાનગરની શેરીઓ વરસાદના કારણે ધોવાણ પામેલ હોય અને જે શેરીઓની પરિસ્થિતિ ર્જ્જરીત હાલતમાં હતી તેવી શેરીઓમાં રૂ. ર૪ લાખના ખર્ચે પેવર કામ મંજૂર કરાવેલ.
આજરોજ વિસ્તારમાં પેવર કામ ચાલુ કરાવેલ આ કાર્ય ચાલુ થતા ની સાથે જ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી ગયેલ હતી. આ કાર્યમાં પૂર્વ કોર્પોરેટર રેખાબેન હીરાણી, નારણભાઇ પુરબીયા, વિઠલભાઇ પુરબીયા, બીપીનભાઇ વાઘેલા, પીન્ટુભાઇ વાઘેલા, ઉપેન્દ્રભાઇ વ્યાસ, કાળીબેન, છાયાબેન, રૂપાબેન, રાજીબેન રાઠોડ, સરોજબેન વાઘેલા, વિગેરે લોકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.