રાજકોટ
News of Thursday, 8th December 2022

હિતેષભાઇ રાવલ અને અશોકભાઇ જયસ્‍વાલના બેભાન હાલતમાં મોત

સાનિધ્‍ય પાર્ક અને ખોડિયાર સોસાયટીના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૮: બેભાન હાલતમાં બે વ્‍યક્‍તિએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો. મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે સાનિધ્‍ય પાર્કમાં રહેતાં હિતેષભાઇ પ્રવિણચંદ્ર રાવલ (ઉ.વ.૫૫) સવારે પાંચેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ધોળકીયા સ્‍કૂલમાં વેન ડ્રાઇવર હતાં. સંતાનમાં એક પુત્ર છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં.

બીજા બનાવમાં દોઢસો ફુટ રીંગ રોડ ખોડિયાર સોસાયટીમાં રહેતાં અશોકભાઇ રમણીકલાલ જયસ્‍વાલ (ઉ.વ.૫૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. મૃતકને બે પુત્ર અને બે પુત્રી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થતાં બી-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:34 am IST)