રાજકોટની ત્યકતાને પીએસઆઇ બનાવવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી એઝાઝ ચાર દિવસની રીમાન્ડ પર
રાજકોટઃ રાજકોટમા રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી રપ વર્ષીય ત્યકતા પર ચોટીલાના ઘાંચીવાડ જમાતખાના પાસે રહેતા એઝાઝ નુરમહમદ ગઢવાળા(ઉ.વ.૩૮) નામના શખ્સે રવિરાજસિંહ તરીકે ઓળખ આપી ખોટું નામ ધારણ કરી ચોટીલા બોલાવી અને અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજારી બે લાખની રોકડ તથા ત્રણ મોબાઇલ ફોન પડાવ્યાની યુનિવર્સિટી પોલીસમથકે ફરિયાદ નોંધાઇ છે.
ઘટનાને લઇ આરોપી એઝાઝની ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ પર મેળવી રોકડ તથા મોબાઇલ ફોન કબજે લેવા પોલીસે કવાયત હાથ કરી છે.
આરોપી એઝાઝનો પ્રથમથી જ મલિન ઇરાદો હતો એ મુજબ મકાન ભાડે રાખવાની સાઇટ પર વિશાલને સંપર્ક નંબર આપ્યો તેમાં જ પોતાનું નામ અને ઓળખ છૂપાવી હતી. ત્યારબાદ યુવતીને ઝાળમા ફસાવવા પિતા પી.આઇ. હોવાનુ બીજુ તરકટ, જુઠ રચી યુવતીને પીએસઆઇ બનાવી દેવાની લાલસામા વધુ ઉંંડી ઉતારીને દુષ્કર્મ ગુજારીને નાણા પડાવ્યા હતા.