News of Friday, 8th October 2021
રતનપર રામચરિત માનસ મંદિરે નિઃશુલ્ક સર્વરોગ કેમ્પ સંપન્ન
રાજકોટઃ શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિરે હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજના ઉપક્રમે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી નિદાન સારવાર કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ડો.હેમાંગ જાની, ડો.પ્રિયંકા મકવાણા, ડો.જાનકી અઘેરા, ડો.બ્રિજેશ વર્મા, ડો.કલ્યાણી જોગી, ડો.નિધિ ધનેશા, ડો.પલક ગજજર વગેરેએ તેમજ સેવા આપી હતી. હોમિયોપેથ ડો.કિંજલબેન અનડકટ જયારે ડેન્ટિસ્ટ ડો.કૌશા ભાયાણીએ સેવા આપી હતી. કેમ્પનો અંદાજે ૧૦૬ દર્દીઓએ લાભ લીધો હતો. તેમ સિયારામ મંડળીની યાદીમાં જણાવાયું છે. (ફોન ૦૨૮૧- ૨૭૮૮૨૦૨)
(11:40 am IST)