બ.સ.પા.ના સંસ્થાપક કાંશીરામજીનો કાલે મહાનિર્વાણ દિનઃ શ્રધ્ધાંજલી કાર્યક્રમ
રાજકોટઃ તા.૮, આવતીકાલે તા.૯ મંગળવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, દાસી જીવણપરા સામે, રાજકોટ ખાતે બહુજન સમાજ પાર્ટીના તત્વાધાનમાં જિલ્લા રાજકોટ દ્વારા બામસેફ, દલિત શોષિત - સંધર્ષ-સમિતિ તથા બહુજન વોલન્ટરી ફોર્સ (બીવીએફ) બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક સામાજીક પરિવર્તનના મહાનાયક યુગ પ્રવર્તક માન્યવર કાશીરામજીના ૧૨મા મહાનિર્વાણ દિને સંગઠન સમીક્ષા અને વિશાળ શ્રધ્ધા સુમન અર્પણ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
શ્રધ્ધાજંલી સભા અને સંગઠન સમીક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોહનભાઇ રાખૈયા (મહાસચીવ બ.સ.પા. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર ઝોન- કોર્ડીનેટર) તથા વિશેષ અતિથિ તરીકે દિનેશભાઇ પડાયા (બ.સ.પા સૌરાષ્ટ્ર ઝોન - કોર્ડીનેટર) ભુપેનદ્રભાઇ પટેલ (બ.સ.પા સૌરાષ્ટ્ર ઝોન - કોર્ડીનેટર) તેમજ મોહનભાઇ મેરીયા (બ.સ.પા રાજકોટ જિલ્લા - પ્રમુખ) દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરશે. અને સંગઠનાત્મક માર્ગદર્શન આપશે .
કાર્યક્રમનું સંચાલન કમલેશભાઇ પારઘી (જિલ્લા બીવીએફ સંયોજક બ.સ.પા) અને જીતેન્દ્રભાઇ મહીડા (પ્રભારી - ૬૯) રાજકોટ,વિધાનસભા- દ્વારા કરવામાં આવશે.
‘‘અકિલા'' કાર્યાલયની મુલાકાત પ્રસંગે મોહનભાઇ રાખૈયા,દિનેશભાઇ પડાયા, વિનોદભાઇ વાઘેલા, મોહનભાઇ મેરીયા, આનંદભાઇ ચાવડા, (બામસેફ), જયસુખભાઇ ઉતેરીયા, કમલેશભાઇ પારઘી, જયંતિભાઇ સોલંકી, સુદર્શનભાઇ સાદની, ઘનશ્યામભાઇ ગઢાદરા, લાલજીભાઇ હાફડા, ચોથાભાઇ સોહલા, મનસુખભાઇ ચાવડા, (બામસેફ), રવિન્દ્રભાઇ પરમાર (બામસેફ), રણછોડભાઇ સોલંકી (આરબી), દિપકસિંહ જાડેજા હાજર રહયા હતા. (તસ્વીરઃ વિક્રમ ડાભી)