News of Monday, 8th October 2018
રાજકોટથી જોગવડ માતાજી મંદિર સુધી પદયાત્રા
રાજકોટ તા. ૬: જામનગર પાસે સીકકા રોડ ઉપર આવેલા જોગવડ માતાજીના મંદિરે રાજકોટથી ૧ર૦ કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૯ને મંગળવારે સવારે ૪ કલાકે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા નીલદા ધાબા પાસેના ચમત્કારી હનુમાન મંદિર ખાતેથી સાઇકલ, મોટર સાઇકલ તથા પદયાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રામાં જોડાવા ઇચ્છુકોએ વેજાગામ વાજડી વાળા જાડેજા દિલીપસિંહ મહિપતસિંહ (૯૮રપ૦ ૭૮૦૧૦ તથા ૯૯૦૯૯ ૭૮૦૦૬) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
(11:33 am IST)