શહેર કોંગ્રેસ દ્વારા કાલે ભારત જોડો ત્રિરંગા યાત્રા
કિસાનપરા ચોક ખાતેથી પ્રારંભ રાષ્ટ્રીયશાળામાં સમાપનઃ ત્રિવેદી- અજુડીયા
રાજકોટ,તા.૮: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી સ્વાતંત્ર સેનાનીના જુસ્સા અને બલિદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહ્યા છે.
જે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોરની સુચના અનુસાર સમગ્ર ગુજરાત ભરમાં ભારત જોડો ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.૯ના મંગળવારે સવારે ૧૦ કલાકે ‘ભારત જોડો ત્રિરંગા યાત્રા' કિશાનપરા ચોક ખાતેથી પ્રસ્થાન થઇ રૈયા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, ડો હોમી દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, (જીલ્લા પંચાયત ચોક), બહુમાળી ભવન ચોક, જયુબેલી ચોક, પરાબજાર મેઈન રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ત્રિકોણ બાગ, માલવિયા ચોક, રાષ્ટ્રીય શાળા ખાતે ભારત જોડો ત્રિરંગા યાત્રા પૂર્ણ થશે તેમજ આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સીનીયર આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરો, ફ્રન્ટલ-સેલ વિભાગના હોદેદારો અને રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના કાર્યકરો-સદસ્યો બહોળી સંખ્યામાં જોડાશે તેવું પ્રદિપ ત્રિવેદી અને સંજય અજુડિયાએ યાદીના અંતમાં જણાવ્યું છે.