રાજકોટ
News of Thursday, 8th August 2019

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટ : પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવાના ધ્યયેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ર૦ શાળાના ધોરણ ૧ થી ૮ ના શાળા પ્રથમ આવેલ ૧પ૧ તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ગીફટ આપી ને સન્માનીત કરાયા હતાં. સ્વ. મનુભાઇ કાનજીભાઇ રાઠોડ તથા સ્વ. ચનાભાઇ પુંજાભાઇ ચૌહાણની સ્મૃતિમાં સર્વે વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પી. ડી. યુ. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, શાસનાધિકારી સંજયસિંહ ડોડીયા, દાતા શ્રી દોલતભાઇ રાઠોડ, રમેશભાઇ ચૌહાણ, કૌશિકભાઇ રૂપાપરા, સંપતરાવ માને, ભરતભાઇ સોરાણી, દિલીપભાઇ ચૌહાણ, કેશુભાઇ એંધાણી, ભરતભાઇ લીંબાસીયા, ભાવેશભાઇ દેથરીયા, મિલનભાઇ લીંબાશીયા, અબ્બાસભાઇ લક્ષ્મીધર, પ્રેમગીરીજી ગૌસ્વામી અનિલભાઇ તળાવીયા, વિનોદભાઇ પરમાર ઉપસ્થિતી રહેલ. સ્વાગત પ્રવચન પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયા તથા આભારવિધી હરેશભાઇ પરમારે કરેલ. આ તકે પી. ડી. યુ. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવને ડીન પદે સરકાર દ્વારા વરણી બદલ સંસ્થા દ્વારા સન્માન-પત્ર તથા શાલથી સન્માનીત કરાયેલ. સંસ્થા દ્વારા ચાલતા વ્યસન-મુકિત અભિયાન અંતર ગત નગર પ્રા. શિ. સ. ના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા શિક્ષણ સમિતિના સદસ્ય ભાવેશભાઇ દેથરીયાએ તેમનું વર્ષો જુનુ સ્મોકીંગનું વ્યસન છોડતા તેમને પણ સન્માનપત્ર દ્વારા સન્માનીત કરવામાં આવેલ. સ્વ. મિલન ભરતભાઇ પરસાણાની સ્મૃતિમાં સર્વે બાળકોને નાસ્તો સાઇન આર્ટ ગ્રુપ તરફથી આપવામાં આવેલ.

(3:51 pm IST)