રાજકોટ
News of Saturday, 8th June 2019

આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા બે ખડૂતોની તબીયત લથડી

બેડીયાર્ડ ખાતે ત્રણ દિવસથી ૧૨ ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે : આજે ઢોલ - નગારા વગાડી તંત્રને જગાડાશેઃ આગેવાનોએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇ ટેકો જાહેર કર્યો

રાજકોટઃ તા.૮, પાકવીમાના પ્રશ્ને બેડી યાર્ડ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. દરમિયાન આજ બે ખેડૂતોની તબીયત લથડી હોવાનું જાણવા મળે છે. ૧૨ જેટલા ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે.

   કિશોરભાઈ લક્કડ  અને કિશોરભાઈ સગપરીયાની તબીયત લથડી છે. સવારે જે ખેડૂતો મળવા આવેલા હતા તે ખેડૂતોએ સાથે મળીને કાર્યક્રમ કરીને સરકારને અત્યારની પાક વીમા બાબતની તે રીતે અને નીતિ છે એનું ઉદાહરણ રીતે બતાવેલ હતું જેમકે નગારા ઢોલ અને આરતી થી જગાડવાની છે. તેમ વીમાના કામની અંદર માત્ર આશ્વાસન જ મળે છે અને તે પૂર્ણ થતું નથી તેનું દુઃખ છે બધા ખેડુતોએ સાથે મળીને સરકારની આ નીતિ સુધારવા માટેની અપીલ કરેલ.

તેમજ આજે ઘણા બધી સંસ્થાઓના વડીલો પ્રમુખો તેમજ આગેવાનો છાવણી વિભાગની મુલાકાત લીધી હતી અને ઉપવાસીઓને હિંમત વગેરે બાબતની આ આમરણ ઉપવાસ બાબતનો ખુલ્લો ટેકો આપેલો શ્રી વી પી વૈષ્ણવ તેમજ તેની કારોબારી મુલાકાત લઈ અને આ મુદ્દા બાબતે સરકાર સાથે વાતચીત કરી અને આ પ્રશ્નનો જલ્દી ઉકેલ આવે તેવી લાગણી વ્યકત કરી હતી.

તેમજ ખેડૂત કોંગ્રેસ સેલના પ્રમુખશ્રી પાલભાઈ આંબલીયા (દ્વારકાધીશ)એ તેમજ રામજીભાઈ પૂર્વ સાંસદ રમાબેન અને રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ રમાબેન માવાણી એ તથા ગુજરાત કિસાન સંગઠન પ્રમુખ જે.કે.પટેલ રતનસિંહ ડોડીયા એ ભારતીય કિસાન સંઘ ને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે

  ઉપવાસ આંદોલન માં બેઠેલાઙ્ગ ખેડૂતોની યાદી

૧- દિલીપભાઈ સખીયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રાજકોટ, ૨- અતુલભાઇ કમાણી દલાલ મંડળ એસોસિયેશનના પ્રમુખ, ૩- કિશોરભાઈ લખાણ, ૪-  ઝાલાભાઇ રાતડીયા, ૫- મુકેશભાઈ રાજપરા, ૬- શૈલેષભાઈ સીદપરા, ૭- ઉકા ભાઈ ગોંડલીયા, ૮- ઠાકરશીભાઈ પીપળીયા , ૯- ભુપતભાઈ કાકડીયા,૧૦- કિશોરભાઈ સગપરીયા, ૧૧- દીપકભાઈ લીંબાસીયા,૧૨- વિપુલભાઈ મેઘાણી

(3:57 pm IST)