સરદારનગરમાં પૂ.વનિતાબાઈ મ.સ.નું ગુરૂવારે પદાર્પણ
રાજકોટ,તા.૮: શ્રી શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્ર્તિની પૂ.વનિતાબાઈ મ.સ. પ્રખરવકતા પૂ.હંસાબાઈ મ.સ.આદિ તથા નવદીક્ષિતા પૂ.મુકિતશીલાજી મ.સ.ઠાણા-૭ ઈન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રયેથી તા.૧૩ને ગુરૂવારે સવારે ૭ કલાકે સકલ સંઘ સહિત વિહાર કરીને પધારશે.
આજીવન સંથારા આરાધક ગુરૂમા પૂ.નર્મદાબાઈ મ.સ.ની પ્રથમ માસિક તિથિ તપ- જપથી તા.૨૮- ૨૯- ૩૦ના ઉજવાશે. ગુરૂમા ગુણાંજલિમાં જીવદયા કળશ જાગૃતિબેન શાહને અર્પણ કરવામાં આવેલ.
પૂ.ધીરજમુનિની સરદારનગરમાં પધરામણી સમયે પ્રમુખ હરેશભાઈ વોરાએ બીનાબેન શેઠ પ્રેરીત ૧૦૦ કિલો લાડુ જુદી- જુદી પાંજરાપોળમાં મોકલવા અંગે જણાવેલ. શૈક્ષણીક- મેડીકલ સહાયના ચેકનું વિતરણ સુશીલાબેન શેઠના હસ્તે અપાયેલ.(૩૦.૧૧)