રાજકોટ
News of Saturday, 8th June 2019

અમીવ્રજ સોસાયટીમાં બીમારીથી કંટાળી અનવરભાઇનો કાનાણી ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા ૮  : કાલાવડ રોડ પર અમીવ્રજ સોસાયટીમાં રહેતા ખોજા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ, અમીવ્રજ સોસાયટી બ્લોક નં. ર/૬૯ માં રહેતા અનવરભાઇ બહાદુરભાઇ કાનાણી (ઉ.વ.૪૭) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ ના ઇ.એમ.ટી ભાવનાબેન ડોડીયાએ તપાસ કરતા ખોજા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા, પોલીસને જાણ કરવામાં આવી હતી, બાદ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા તથા રાઇટર પૃથ્વીસિંહ એ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક અનવરભાઇને સંતાનમાં બે પુત્ર છે, પત્ની જીનીયસ સ્કુલમાં નોકરી કરે છે, તેને ઘણા સમયથી થાઇરોડની બીમારી હોઇ તેથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

(3:46 pm IST)