રાજકોટ
News of Saturday, 8th June 2019

સીવીલ હોસ્પિટલમાં હરીયાળી લહેરાશે : ઘનિષ્ઠ વૃક્ષારોપણ

રાજકોટ : અહીંની પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ ખાતે હરીયાળી લહેરાવવાના ઉદેશ્ય સાથે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે આ વૃક્ષારોપણનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, સીવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંત ઠાકર, ન્યુરો સર્જન ડો. રાજેન્દ્રભાઇ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, લાયબ્રેરીયન ડો. રાજુભાઇ ત્રિવેદીએ સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલ સ્ટાફ કર્મચારી, નર્સીંગ સ્ટાફ, સીકયોરીટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)