રેલરાજ ક્રેડીટ સોસાયટીની સામાન્ય સભા
રાજકોટઃ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ શ્રી રેલરાજ ક્રેડિટ કો.ઓ.સોસાયટીની ૧૧મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન થઈ. ચેરમેન વનરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે મળેલી વાર્ષિકસભામાં તમામ ડિરેકટરો તથા ૪૦૦થી વધુ સભાસદો હાજર રહ્યા હતા. ચેરમેનશ્રી વનરાજસિંહે સંસ્થાની યોજનાની વિસ્તારથી માહિતી આપી હતી.
વાઈસ ચેરમેનશ્રી નટવરસિંહ ચૌહાણે સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ વિષે તેમજ ''કીડની સંભાળ અને સારવાર'' વિષે સ્લાઈડ શો દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી.
આયોજનને સફળ બનાવવા સર્વશ્રી મેનેજિંગ ડિરેકટર ઘનશ્યામભાઈ સંચાણિયા, નીતુભા વાઘેલા, બાલદેવસિંહ ચુડાસમા, મહેશભાઈ, મહેશભાઈ ત્રિવેદી, આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્ટાફના સભ્યો સર્વશ્રી ભૂપતભાઈ સરવૈયા, રાજેન્દ્રસિંહ જાડેજા, મોનાબેન રાઠોડ, અમિતભાઈ બારૈયા, કિશોરસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી. શિવણ કલાસના નિતાબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું