રાજકોટ
News of Saturday, 8th June 2019

આવતા અઠવાડિયે ૧૫૦ નાયબ મામલતદારોને પ્રમોશનઃ રેવન્યુ કર્મચારી મહામંડળ મહેસુલ મંત્રીને મળ્યું

જૂનની ૨૨-૨૩ આસપાસ એકી સાથે ૧૫૦૦ કલાર્ક-તલાટીને બઢતી આપશે સરકાર

રાજકોટ, તા. ૭ :. ગુજરાત રેવન્યુ કર્મચારી મહામંડળે ગઈકાલે મહેસુલ મંત્રીને મળી નાયબ મામલતદારો અને રેવન્યુ કલાર્ક-તલાટીના પ્રમોશન આપવા અંગે ગાંધીનગર ખાતે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

રજૂઆતમાં હોદેદારોએ મહેસુલ મંત્રીને સાફ સાફ જણાવ્યું હતુ કે સરકારની અણઘડ નીતિને કારણે નાયબ મામલતદારો, કલાર્ક, તલાટીના પ્રમોશન અટકયા છે.

આ પછી મહેસુલ મંત્રીએ ગણત્રીના દિવસોમાં યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. રાજકોટ કલેકટર કચેરીના મહેસુલ મંડળના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આગામી અઠવાડિયે ૧૫૦ જેટલા નાયબ મામલતદારોના પ્રમોશન આવી રહ્યા છે અને ૨૨ - ૨૩ જૂન આસપાસ ૧૫૦૦ જેટલા કલાર્ક, તલાટીઓનું પણ પ્રમોશન અપાશે. જેમાં રાજકોટ કલેકટર તંત્રના ૬૫ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

(3:44 pm IST)