રાજકોટ
News of Friday, 8th June 2018

શ્રીનાથજી સોસાયટીના પ્રફુલભાઇ તન્નાએ શાપર જઇ ફિનાઇલ પીધું

તેને તેના માસીનું મકાન લેવું હતું પણ એ મકાન આહિર શખ્સને લેવું હોઇ માથાકુટ થતાં કંટાળીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૮: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૩માં રહેતાં અને ફાયનાન્સ કંપનીમાં કામ કરતાં પ્રફુલભાઇ જગજીવનભાઇ તન્ના (ઉ.૪૩)એ શાપર વેરાવળના પોલીસ સ્ટેશન નજીક ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પ્રફુલભાઇ પાંચ ભાઇમાં વચેટ છે અને સંતાનમાં બે પુત્ર છે. તેના ભાઇ અરવિંદભાઇ તન્નાએ કહ્યું હતું કે ગત સાંજે પ્રફુલભાઇ અચાનક નીકળી ગયા હતાં. તેમનો ફોન લાંબા સમય સુધી રિસીવ થતો નહોતો. છેલ્લે તેણે ફોન રિસીવ કરી પોતે શાપર હોવાનું કહેતાં બધા ત્યાં જતાં તેણે ફિનાઇલ પી લીધાની ખબર પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ પાછળનું કારણ એવું છે કે અમારે અમારા માસીનું મકાન ખરીદવાનું હતું. પણ આ મકાન બીજા આહિર શખ્સને ખરીદ કરવું હોઇ તે બાબતે તેની સાથે માથાકુટ થઇ હતી. આથી અમે માસીને અમારે મકાન નથી ખરીદવું તેમ જણાવી સુથી પણ પાછી લઇ લીધી હતી. આમ છતાં હેરાનગતિ થતી હોવાથી પ્રફુલભાઇએ કંટાળીને આ પગલુ ભર્યુ હતું. તેમ અરવિંદભાઇએ વધુમાં જણાવ્યું હતું. (૧૪.૧૧)

(4:06 pm IST)