રાજકોટ
News of Friday, 8th June 2018

ગૃહકલેશને કારણે એસિડ પી લેનારા મોટા મવાના રાજેન્દ્રભાઇ વ્યાસનું મોત

રાજકોટ તા. ૮: મોટા મવા રહેતાં બ્રાહ્મણ વૃધ્ધે વીસેક દિવસ પહેલા કણકોટના પાટીયે એસિડ પી લેતાં સારવારમાં હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ગૃહકલેશને લીધે આ પગલું ભર્યાનું પોલીસને જણાવાયું હતું.

મોટા મવા રહેતાં રાજેન્દ્રભાઇ જયશંકરભાઇ વ્યાસ (ઉ.૭૫) નામના વૃધ્ધે ૧૬/૫ના રોજ ઘરેથી નીકળી કણકોટના પાટીયા પાસે એસિડ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર બાદ રજા લઇ ઘરે  રખાયા હતાં. ગઇકાલે ફરીથી તબિયત બગડતાં સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રો છે. (૧૪.૬)

(12:45 pm IST)