રાજકોટ
News of Saturday, 8th May 2021

અંતે કોરોના સામે જંગ હારી જતા જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેશ લાડવા

૧૫ દિવસ પહેલા તેમના માતુશ્રીનું અવસાન થયેલ : ઘેરો શોક

રાજકોટ તા. ૮ : સતત ૧૫ દિવસના કોરોના સામેના જંગ બાદ આજે જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેશભાઇ બી. લાડવાએ આજે અંતિમ શ્વાસ લેતા ભારે ગમગીની છવાઇ છે.

હસમુખા સ્વભાવ અને દરેકને ઉપયોગી થતાં ધર્મ પરાયણ ધર્મેશભાઇ લાડવા કોરોનાથી સંક્રમીત થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ. ધર્મેશભાઇ લાડવાની તબિયત લથડતા આજે સવારે દુઃખદ અવસાન થયું છે.

એડવોકેટ ધર્મેશભાઇ લાડવાના દુઃખદ નિધનના સમાચાર મળતા વકીલ વર્તુળ, રિયલ એસ્ટેટ તેમજ મિત્ર વર્તુળમાં ઘેરો શોક છવાયો છે. ધર્મેશભાઇ લાડવાના માતુશ્રી પ્રફુલાબેન લાડવાનું ૨૦ એપ્રિલના નિધન થયું હતું.

(4:15 pm IST)