રાજકોટ
News of Thursday, 8th April 2021

શહેરમાં અનેક સિગ્નલ સાંજે 7,30 વાગ્યે પણ ચાલુ: અનેક ઠેકાણે ટ્રાફિક જામ

રાજકોટ: શહેરમાં ગઈ કાલે સાંજે થયેલ ટ્રાફિક જામ અટકાવવા આજે સાંજે 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે તેવુ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આદેશ કર્યો હતો. પરંતુ અનેક સિગ્નલ સાંજે સાડા સાતે પણ ચાલુ રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.

જેના કારણે ત્રિકોણબાગ અને કેસરે હિન્દ પુલ પાસે ટ્રાફિક ગઈકાલની માફક થયો જામ એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક જામ નડ્યો હતો.

 

(8:41 pm IST)