રાજકોટ
News of Thursday, 8th April 2021

મુખ્યમંત્રી, પૂર્વમેયર, પૂર્વસાંસદ, સહીતનાઓએ સીવીલમાં સારવાર લીધી છે ત્યારે અધિકારીઓને ખાનગીનો મોહ કેમ ? નેહલ શુકલ

રાજકોટ તા. ૮ : કોરોનાની સ્થિતીમાં ભૂતકાળ કે  વર્તમાનમાં સંક્રમિત થયેલા રાજકીય પદાધિકારીઓએ સિવીલ કોવિડ પર પુરો ભરોશો રાખીને સારવાર લીધી છે. ત્યારે અધિકારીઓએ પણ સીવીલ કોવિડમાં સારવાર લઇ અને પ્રેરક કાર્યકરવુ જોઇએ જેથી લોકોને તંત્ર પર ભરોશો  રહે.

નેહલભાઇ શુકલે આ તકે સુચન કરતા જણાવ્યું હતું કે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ કોવિડમાં, રાજકોટનાં પૂર્વ સાંસદ અભયભાઇ ભારદ્વાજે પણ સિવિલ કોવિડમાં અને પુર્વમેયર બીનાબેન આચાર્ય તથા રક્ષાબેન બોળીયા વિગેરેએ પણ સિવિલ કોવિડમાં સારવાર લીધી હતી. ત્યારે અધિકારીઓએ ખાનગી કોવિડનો મોહ છોડી દેવો જોઇએ.

(4:22 pm IST)