રાજકોટ
News of Monday, 8th March 2021

ગુરૂવારે મહાશિવરાત્રીએ કતલખાના બંધ રાખવા આદેશ : માસ-મટન-મચ્છી-ચીકન વેચવા પર પ્રતિબંધ

મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનું જાહેરનામુ : જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી પગલા

રાજકોટ તા. ૮ : આગામી ૧૧મી માર્ચે મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા બહાર પાડયું છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી તા. ૧૧ માર્ચના રોજ 'મહાશિવરાત્રી' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

(5:09 pm IST)