News of Monday, 8th March 2021
અનિષ હોસ્પિટલમાં કોરોના વેકસીન લેતા રમેશભાઇ વોરા
રાજકોટ, તા. ૮ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, અંજલીબેન રૂપાણી તેમજ આજકાલ સાંધ્ય દૈનિકનાં ધનરાજભાઇ જેઠાણી તેમજ પ્રતિષ્ઠીત નાગરિકો, રાજકીય આગેવાનો તેમજ સામાજીક સીનીયર સીટીઝન્સ આગેવાનોએ કોવિડ વેકસીન લીધેલ છે.
તેમની પ્રેરણાથી ''આજકાલ'' સાંધ્ય દૈનિકનાં પૂર્વ કોર્પોરેટ મેનેજર રમેશભાઇ વોરા અને તેમના પત્નિ જયોત્સનાબેન વોરાએ રાજકોટ ખાતે આવેલ ''અનિષ'' હોસ્પિટલ ખાતે કોવિડ-વેકસીન લીધેલ તે પ્રસંગેે રમેશભાઇ વોરાએ લોકોને કોઇ પણ ડર રાખ્યા વગર કોવિડ વેકસીન લેવા અનુરોધ કરેલ છે.
(4:16 pm IST)