લોહાણા અગ્રણી રમેશભાઇ ધામેચા અને તેમના ધર્મપત્નિએ વેકસીન લીધી
રાજકોટઃકોરોના મહામારી દરમિયાન જરૂરી અને સલામત ગણાતી કોરોના વેકિસન દરરોજ હજારો લોકો લઇ રહ્યા છે ત્યારે વિશ્વનું સૌથી મોટું ગણાતું રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ અને અખિલ વિશ્વ ગૌ સુરક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ ધામેચાએ સજોડે રાજકોટની ગીરીરાજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ( અનીશ હોસ્પિટલ ) ખાતે સજોડે કોરોના વાયરસનો પ્રથમ ડોઝ લીધો હતો વેકિસન લીધા પછી સંપૂર્ણ સ્વચ્છતા સાથે રમેશભાઈ ધામેચા(મો.૯૪૨૯૫ ૬૨૪૦૦) એ જણાવ્યું હતું કે કાળમુખા કોરોનાને હરાવવા માટે વેકિસન એકમાત્ર બ્રહ્માસ્ત્ર છે તબીબોના માર્ગદર્શન હેઠળ પોતાની હેલ્થને અનુરૂપ તથા નિયમોને અનુસરીને નાના-મોટા સૌએ કોઈએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર કોરોના વેકેશન લેવી જોઈએ તેવી પણ અપીલ કરી હતી.