રાજકોટ
News of Monday, 8th March 2021

ડો.કથરીયા દંપતિએ વેકસીનનો ડોઝ લીધોઃ સૌને ભય વિના રસી લેવા અપિલ કરીઃ તંત્રની કામગીરી બિરદાવી

રાજકોટઃ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭) અને તેમના ધર્મપત્નિ આર.એસ.એસ.ના સૌરાષ્ટ્રપ્રાંતના સંપર્ક પ્રમુખ, મહિલા સમન્વયના સૌરાષ્ટ્રના કન્વીનર શ્રીમતિ કાંતાબેન કથીરિયાએ રાજકોટમાં ડો.સુશીલ કારીયાની અનીશ હોસ્પિટલ ખાતે કોરોનાની વેકસીન લેતા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોને ભય વિના વેકસીન લેવા અપીલ કરેલ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનિતિનભાઈ પટેલ અને ગુજરાત સરકારની સમગ્ર ટીમની સફળ વેકસીન માટેની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવેલ છે.

(3:25 pm IST)