ભાગવતજીએ પંડીત શબ્દ પ્રયોગ કરેલ, જેનો અર્થ વિદ્વાન : કશ્યપ શુકલ
મુંબઇ ખાતે સંત રૈદાસજીની જન્મજયંતિ પ્રસંગે
રાજકોટ, તા. ૮ : બ્રહ્મ સમાજના આગેવાન કશ્યપ શુકલએ એક યાદીમાં જણાવ્યું હતું કે, મુંબઇ ખાતે તા. પ ના રોજ સંત શિરોમણીશ્રી રૈદાસની જન્મજયંતિ પ્રસંગે ડો. મોહનજી ભાગવતે આપેલું નિવેદન ‘‘સત્ય એ છે કે હું બધા પ્રાણીઓમાં સમાનરૂપથી નિવાસ કરૂ છું. નામ-રૂમ કોઇપણ હોય, પરંતુ યોગ્યતા, માન-સન્માન એક છે. જાત-પાતના કોઇ ભેદ નથી. શાષાોના આધારે પંડીતો (વિધ્વાનો) જે કહે છે. (જાતિ આધારિત ઉંચ-નીચે) એ જુઠ છે. ''
તેઓ પોતાનું વકતવ્ય મરાઠીમાં આપતા હતા. મિડીયા બ્રોડકાસ્ટર્સએ અનુવાદમાં ભુલ કરેલ અને ‘પંડીત' શબ્દનો અર્થ ‘‘બ્રાહ્મણ'' ચલાવ્યો. જે ભૂલ જે-તે બોડકાસ્ટર્સે સ્વીકારેલી છે. અહીં ‘પંડીત' શબ્દનો અર્થ ‘વિદ્વાન' થાય છે. ‘બ્રહ્મણ' નહિ. ડો.ભાગવતે અહીં ‘બ્રાહ્મણ' શબ્દનો ઉલ્લેખ પણ કરેલ નથી. આથી આવા ખોટા અર્થઘટનમાં ન આવતા ડો. ભાગવતએ સમાજની એકતા અખંડીતતા અને ભારતને વિશ્વગુરૂ બનાવવાનો જે સંદેશ સમાજને આપ્યો છે. તે અનુસરવા તમામ જ્ઞાતિ બંધુઓને અનુરોધ કરાયો છે.