સ્વ. વીણાબેન ગણાત્રાને વિવિધ ક્ષેત્રની શ્રધ્ધાંજલી
મૃત્યુ સજા નહિ, ઇશ્વરની વ્યવસ્થા : શાષાી કૌશિકભાઇ ભટ્ટ : અદાણી ગ્રુપના જયદીપ શાહ, સદ્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ ન્યારા, કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ, ગોંડલ લોહાણા મહાજનના રમેશભાઇ કારિયા, નવીનભાઇ પાલા, સમર્પણ યંગ ગ્રુપના વિનોદ ચોટલિયા વગેરેના શોક સંદેશ
રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની શ્રીમતી વીણાબેન તા. ૩૧ જાન્યુઆરીએ શ્રીજીચરણ પામતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા મળતા શોક સંદેશા અવિરત છે.
અદાણી ગ્રુપના શ્રી જયદીપ શાહે અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા અને અજિતભાઇ ગણાત્રાને પત્ર પાઠવી દુઃખની લાગણી વ્યકત કરી છે.
શાષાી કૌશિકભાઇ ભટ્ટ રાણસીકીવાળાએ શોક સંદેશમાં લખ્યું છે કે, કોઇ વિચારકે કહ્યું છે કે મૃત્યુ એ ઇશ્વરની સજા નહિ પરંતુ ઇશ્વરનો કાયદો (વ્યવસ્થા) જન્મ એનું મૃત્યુ નિヘતિ છે. ગણાત્રા પરિવારને સ્વજન ગુમાવ્યાનું દુઃખ સહન કરવાની ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
ઉપરાંત શ્રી સદ્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ - ન્યારા (પડધરી), કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજના મંત્રી જમનાદાસ પોપટભાઇ તારપરા, ગોંડલ લોહાણા મહાજનના ઉપપ્રમુખ રમેશભાઇ કારીયા, અમદાવાદથી એન.જી.પાલા, સમર્પણ યંગ ગ્રુપ રાજકોટના પ્રમુખ વિનોદ ચોટલિયા વગેરે શોક સંદેશ દ્વારા દુઃખ વ્યકત કરી સ્વર્ગસ્થને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ છે.