સ્વ. વીણાબેન ગણાત્રાનું પુણ્ય સ્મરણ સંભારણુ : એચ.પી.કોઠારી
ઉર્જા વિકાસ નિગમના ડીરેકટર દ્વારા શ્રધ્ધાસુમન
રાજકોટ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ટેકનિકલ ડીરેકટર હેરિન પી. કોઠારીએ અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનના અવસાન અંગે દુઃખ વ્યકત કરી શોક સંદેશમાં જણાવ્યું છે કે, એ ક્ષણ બહુ કપરી હોય છે જ્યારે દેહ પર પુષ્પ મુકતા પહેલા હૃદય પર પથ્થર મુકવો પડે છે. અકિલા પરિવારના એક મજબૂત સ્થંભ અને પ્રેરણા સમાન શ્રીમતી વીણાબેનનું દુઃખદ અવસાન થયાના સમાચારથી અમે અત્યંત વ્યથિત છીએ. પરિવારજનની વિદાયને લીધે સર્જાયેલો ખાલીપો ભરવાની શકિત કદાચ સમય પાસે પણ નથી. સાર્થક જીવન એ જ કહેવાય જ્યારે હયાતી વિના પણ નામ ગંજતૂ રહે. એટલે જ વીણાબેનની હયાતી અમો સદાય અનુભવી રહ્યા છીએ. એમનું પુણ્ય સ્મરણ એ જ અમારૂ અમૂલ્ય સંભારણુ છે. એમની દિવ્ય ચેતના અમારી હૃદય મંજૂષામાં સદેવ અકબંધ રહેશે.