બાપા સીતારામ ક્ષત્રિય યુવા મંડળ દ્વારા ચોથો સમુહ લગ્નોત્સવઃ ૯ ક્ષત્રિય યુગલો પાડશે પ્રભુતામાં પગલા
રાજકોટ, તા. ૮ :. બાપા સીતારામ યુવા ક્ષત્રિય મંડળ દ્વારા દર વર્ષે ક્ષત્રિય સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે. આ અંતર્ગત ચોથો ક્ષત્રિય સમૂહ લગ્નોત્સવ આવતીકાલે તા. ૯ને રવિવારે ગ્રીન લીફ પાર્ટીપ્લોટ-૨ ઘંટેશ્વર ગામ પાસે, રાજકોટ-જામનગર નેશનલ હાઈવે, રાજકોટ ખાતે યોજાયો છે. તા. ૯-૨-૨૦૨૦ને રવિવારે બપોરે ૩ કલાકે લગ્ન સ્થળે વર-કન્યા આગમન, બપોરે ૪ કલાકે વર-કન્યા સ્વાગત યાત્રા, સાંજે ૭ કલાકે હસ્તમેળાપ અને રાત્રે ૭.૩૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ છે. બાપા સીતારામ યુવા ક્ષત્રિય મંડળના પરાક્રમસિંહ આર. ગોહિલ (રામણકા), દિલીપસિંહ પી. જાડેજા (નાના ઈંટાળા), કૃષ્ણસિંહ (ખોડુભા) મહિપતસિંહ જાડેજા (ઘંટેશ્વર), મહાવીરસિંહ એચ. વાઘેલા (ડીવાયએસપી-વૌઠા), સંદીપસિંહ એન. ગોહિલ (રામણકા), રૂદ્રરાજસિંહ આર. ગોહિલ (રામણકા), સહદેવસિંહ ડી. ઝાલા (માથક), ચેતનસિંહ આર. ગોહિલ (રતનપુર), આર.કે. જાડેજા (બકુત્રા), બલભદ્રસિંહ એન. ચુડાસમા (ઝીંઝર), સંજયસિંહ બી. વાઘેલા (બગથડા), શકિતસિંહ જી. વાઘેલા (ડુમાલી), દિગુભા જે. ઝાલા (એંજાર), યજુવેન્દ્રસિંહ વી. ઝાલા (કડીયાણા), ધર્મરાજસિંહ વાય. ઝાલા (માથક), વિજયસિંહ સી. જાડેજા (જામગઢકા), મહિપતસિંહ એન. ચુડાસમા (ભાયાવદર), દેવેન્દ્રસિંહ એન. ચુડાસમા (ભાયાવદર), શકિતસિંહ વાય. ચુડાસમા (ભયલુભા-ધોલેરા), પ્રતીપાલસિંહ જી. ચુડાસમા (પીપળી), અજયસિંહ પી. પરમાર (મુળી), જયપાલસિંહ આર. ગોહિલ (રતનપુર), યશપાલસિંહ જે. જાડેજા (શાપર-મોરબી), ચેતનસિંહ પી. જાડેજા (નાના ઈંટાળા), જનકસિંહ જી. રાણા-પીએસઆઈ (જોબાળા), હરપાલસિંહ જે. ઝાલા (માથક), અજયસિંહ કે. ગોહિલ (રામણકા), અજયસિંહ પી. જાડેજા (બેટાવડ), હરદીપસિંહ જી. જાડેજા (ધ્રાફા), દિગ્વીજયસિંહ આર. ગોહિલ (રામણકા), હિતેન્દ્રસિંહ એલ. જાડેજા (પડવલા), વિજયસિંહ જી. જાડેજા (ચાચા વદરડા), રવિરાજસિંહ જી. જાડેજા-પી.આઈ. (ચાચા વદરડા), દિગુભા એન. જાડેજા (નાનામવા), રાજદિપસિંહ એન. જાડેજા (નાનામવા), અશોકસિંહ પી. જાડેજા (બેટાવડ), પૃથ્વીરાજસિંહ ડી. ઝાલા (માથક), પ્રયાગરાજસિંહ જે. જાડેજા (દેડકદળ), યુવરાજસિંહ યુ. જાડેજા (છેલ્લી ઘોડી), ધર્મરાજસિંહ બી. જાડેજા (રીબડા), સહદેવસિંહ પી. રાણા (ભેસજાળ), મયુરસિંહ એન. ઝાલા (લટુડા), ભારતસિંહ ડી. જાડેજા (ધુળકોટ), દેવેન્દ્રસિંહ ડી. જાડેજા (ધુળકોટ), ઈન્દ્રજીતસિંહ બી. ગોહિલ (વાવ), વિજયસિંહ એલ. જાડેજા (મીતાણા), વિરેન્દ્રસિંહ જી. ઝાલા (રવાપર નદી), વિક્રમસિંહ બી. જાડેજા (ચાચા વદરડા), જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (માથક), શકિતસિંહ આઈ. જાડેજા (છલ્લા જોધપર), દેવેન્દ્રસિંહ બી. ઝાલા (ઈગોરોડા), જયુભા યુ. ઝાલા (કણકોટ), રાજેન્દ્રસિંહ એચ. જાડેજા (લુટાવદર), અમિતસિંહ કે. ગોહિલ (રામણકા) સહિતના સભ્યો દ્વારા આ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો છે. જેમાં ૯ ક્ષત્રિય દંપતિ પ્રભુતામાં પગલા માંડી રહ્યુ છે. સોનુ, ચાંદી, ફર્નિચર, ઈલેકટ્રીક, કપડાની વસ્તુ, કટલેરી, પ્લાસ્ટિક અને વાસણ સહિતનો સંપૂર્ણ કરીયાવર ગ્રુપના સભ્યો અને દાતાઓ દ્વારા કરવામાં આવશે. આ લગ્નોત્સવ પારિવારીક માહોલમા યોજાય રહ્યો છે. જેની વિગતો આજે અકિલા સિનીયર પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા સમક્ષ બાપા સીતારામ ક્ષત્રિય યુવા ગ્રુપના સભ્યોએ આપી હતી. આ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)