રાજકોટ
News of Wednesday, 8th January 2020

મૃત નવજાત શિશુઓની જનેતાઓ વિષે મુખ્યમંત્રીના વિધાનો અશોભનિય : મનીષાબા

રાજકોટ, તા. ૮ :  ગુજરાતમાં નવજાત શિશુઓનાં મોત બાબતે મુખ્યમંત્રીશ્રીએ કરેલા વિધાનો અશોભનિય હોવાનું શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મનિષાબા વાળાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આ અંગે મનીષાબાએ જણાવેલ કે મુખ્યમંત્રીશ્રીએ નવજાત શિશુઓના મોત પાછળ માતૃત્વનું અપમાન થાય તેવું પેટ ભરાવવા (સ્તનપાન) બાબતનું અશોભનિય નિવેદન આપી. ભાજપ સરકારનાં આરોગ્યતંત્રની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

મનીષાબાએ અંતમાં એવો આક્ષેપ કર્યો હતો કે મહિલા સન્માન પાછળ લાખો કરોડો ખર્ચતી સરકારનાંૈ સુકાની આ પ્રકારની ભાષાનો ઉપયોગ મૃત નવજાત બાળકની માતાઓ માટે કરે તે અશોભનિય છે.

(4:38 pm IST)