રાજકોટ
News of Wednesday, 8th January 2020

એકતા મિત્ર મંડળ દ્વારા વડીલોને જાત્રા

એકતા મિત્ર મંડળ પ્રમુખ હરીભાઈ રાઠોડ દ્વારા નિઃશુલ્ક જાત્રાની બસનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૧૪૦ લોકોને તુલસીશ્યામ, સતાધાર, પરબ, દામોદર કુંડ, ખોડલધામ, વીરપુર સ્થળ પર જાત્રા કરવામાં આવશે. આ ટૂરને એકતા મિત્ર મંડળના હરીભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, નેજાધારી ટ્રસ્ટના, હરેશ ભગત, પદ્માબેન ચૌહાણ, જયાબેન ટાંક, સતુભા જાડેજા, ઈન્દુભા રાવલ, હંસાબેન સાપરીયા, નયનાબેન ગોહિલ, ભાર્ગવભાઈ પઢીયાર, ભાવેશભાઈ લુણાગરીયા, જયાબેન પાનસુરીયા તથા એકતા મિત્ર મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયુ હતું.

(4:37 pm IST)