પુનમ નિમિતે શુક્રવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ
આયોજક-સંચાલક સ્વામી સત્ય પ્રકાશ નામ નોંધણી શરૂ
રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોનું સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સન્યાસ ઉત્સવ ભજન-કિર્તન, ગીત - સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ખુલ્લુ રહેવુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર આયોજન કરવામાં આવે છે.
આગામી તા.૧૦ને શુક્રવારના રોજ પુનમ નિમિતે રાબેતા મુજબ બપોરના ૩થી રાત્રીના ૮:૩૦ દરમિયાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો ઓશો વિડીયો દર્શન, ઓશો કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન કરાવવામાં આવશે... શિબિર બાદ રાત્રે ૮:૩૦ પ્રસાદ રાખવામાં આવેલો છે. શિબિરના કાર્યક્રમનું સંચાલન પૂર્વદીદી કરવાના છે. તથા શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરવાના છે.
ઉપરોકત પુનમની શિબિરમાં સહજાતી થવા ઓશો સન્યાસી પ્રેમીઓને ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે. શિબિરમાં સહભાગીતા માટે સાધ કે નામ નોંધણી રૂબરૂ અથવા એસએમએસથી દ્વારા નોંધાવી દેવા.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વેદવાડી, ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ વિશેષ માહિતી તથા નામ નોંધણી માટે સ્વામી સત્યપ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦