News of Wednesday, 8th January 2020
આયકર અધિકારીઓની સજ્જડ હડતાલ : સૂત્રોચ્ચાર...
રાજકોટ : કેન્દ્ર સરકારની નીતિ સામે આજે ટ્રેડ યુનિયનોએ હડતાલનું એલાન આપ્યુ હતું. આજે રાજકોટ ઈન્કમટેક્ષના ગેઝેટેડ અને નોન ગેઝેટેડ અધિકારીઓએ હડતાલને સમર્થન આપી કામગીરીથી દૂર રહ્યા હતા. અધિકારીઓની સજ્જડ હડતાલને પગલે કામગીરી ઉપર અસર પડી હતી. આયકર અધિકારીઓએ કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યકત કરી સુત્રોચ્ચાર કર્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં સૂત્રોચ્ચાર કરતા આયકર યુનિયનના ખોડુભા જાડેજા, દિપક ભટ્ટ, ભરત રાજયગુરૂ સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:25 pm IST)