રાજકોટ
News of Wednesday, 8th January 2020

શહેરમાં રોગચાળો યથાવતઃ શરદી ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા

છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૫૨૩ ઘરોમાં ફોગીંગઃ ૬૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ તા.૮:શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબમ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૭૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે અને ડેન્ગ્યુના  ૬ કેસ નોંધાયા છે.

મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩૭૭, ઝાડા-ઉલ્ટીના ૩૩૨, ટાઇફોઇડ તાવના ૪, ડેન્ગ્યુના ૬ તથા મરડાનાં ૯, અન્ય તાવના કેસ ૧૭ સહિત કુલ ૭૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૧૨ હજાર ઘરોમાં સર્વે

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૧૨,૧૧૨ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૫૨૩ ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૬૪ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૬૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૯૮-રેકડી, ૩૭-દુકાન, ૩-હોટલ-રેસ્ટોરન્ટ, ૯-ડેરી ફાર્મ, ૨૦-બેકરી સહિત કુલ ૧૯૮ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૬૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ૫૨ ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(4:20 pm IST)