સમસ્ત સોજીત્રા પરિવાર દ્વારા રવિવારે સ્નેહમિલન-રકતદાન કેમ્પ હસાયરો
રાજકોટ,તા.૮: શ્રી સમસ્ત સોજીત્રા પરિવાર રાજકોટનું રાજકોટમાં રહેતા પરિવારજનો માટે તા.૧૨ ના રોજ ક્રિષ્ના પાર્ટીપ્લોટ(મવડી-પાળ રોડ, દેશી ધમાલની સામે, રામધણ પાછળ)ખાતે સ્નેહમિલનનું આયોજનનું આયજોન કરવામાં આવેલ છે. આ સ્નહેમિલનમાં બપોરે બે વાગ્યાથી પરિવાર જનોનો રકતદાન કેમ્પ રાખવામાં આવેલ છે.
આ સ્નેહમિલન માં અતિથિ વિશેષ પદે ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન-પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખ શ્રી તુષરભાઇ લુણાગરિયા ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલન માં ગત પરીક્ષામાં સારો દેખાવ કરનાર ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સાંજના સમયે સમસ્ત પરિવાર માટે સ્નેહ ભોજન, રાસગરબા, અને હાસ્ય કલાકાર શ્રી સંજયભાઇ સોજીત્રાનો હાસ્ય દરબાર તેમજ પરિવારની દિકરીઓના પ્રેરક પ્રવચન રાખવામાં આવેલ છે. સમસ્ત સોજીત્રા પરિવારજનોને આમંત્રણ અપાયું છે.
આયોજનોને સફળ બનાવવા જીતુભાઇ સોજીત્રા, મનીષભાઇ સોજીત્રા મો. ૯૯૦૪૨૨૭૪૨૮ ભુપતભાઇ સોજીત્રા, સાગરભાઇ સોજીત્રા, મુકેશભાઇ સોજીત્રા, નયનભાઇ સોજીત્રા અને પ્રવિણભાઇ સોજીત્રા જોડાયા છે. (તસ્વીર : વિક્રમ ડાભી)