ઓશો સન્યાસી છગનભાઇ રામાણીના નવા બિલ્ડીંગમાં ગ્રહ પ્રવેશ નિમિતે ધ્યાન - કિર્તન - ભોજન
રાજકોટઃ પ્રખર ઉદ્યોગપતિ ઓશો સન્યાસી છગનભાઇ ખોડાભાઇ રામાણી (સ્વામી સત્યમ શિવમ) દ્વારા જ્ઞાન સમાન સિલ્વર હાઇટમાં નવા ફલેટમાં ગૃહ પ્રવેશ નિમિતે ઓશો ધ્યાન - કિર્તન-ભોજનનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમમાં આશરે ૩૦૦ ઓશો સન્યાસી તથા પ્રેમીઓ સહભાગી થયેલ. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ સાંગાણી માં ધ્યાન રસીલી સ્વામી અનુરાગે કરેલ. કાર્યક્રમએ ઓશો સાહીત્ય માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશને વિશેષ સુવિધા કરી આપેલ. ઓશો કિર્તન ધ્યાન ભોજનના ત્રિવેણી કાર્યક્રમમાં આવનાર સર્વે ઓશો સન્યાસી પ્રેમીએ તથા નામી અનામી માનવતાં મહેમાનોનો છગનભાઇ રામાણી (સ્વામી સત્યમ શિવમ) ૯૮૨૫૦ ૭૫૩૫૪ તથા દિનેશભાઇ ચાંગાણી મો.૯૮૯૮૦ ૮૭૫૨૦ દ્વારા આભાર વ્યકત કરેલ.