ઢોર સાથે બાઇક અથડાતાં ઘાયલ થયેલા જામનગરના ગુણવંતસિંહ જાડેજાનું મોત
ક્ષત્રિય પ્રોૈઢએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૮: ત્રણ દિવસ પહેલા ખંભાળીયા-દ્વારકા વચ્ચે સોનારડી ગામ પાસે કોઇ ઢોર સાથે બાઇક અથડાતાં બે વ્યકિતને ઇજા થઇ હતી. જેમાંથી જામનગરના ક્ષત્રિય પ્રોૈઢનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
જામનગર મયુરનગરમાં રહેતાં ગુણવંતસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૫૪) તા. ૫ના રોજ બાઇકમાં બીજા એક વ્યકિત સાથે બેસીને ખંબાળીયા-દ્વારકા વચ્ચે સોનારડી ગામ પાસે પહોંચ્યા ત્યારે કોઇ ઢોર અચાનક રોડ વચ્ચે ઉતરી આવતાં તેની સાથે બાઇક અથડાતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં ગુણવંતસિંહને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી. સી. પરમાર અને કૃષ્ણસિંહે પ્રાથમિક કાર્યવાહી કરી ખંભાળીયા પોલીસને જાણ કરી હતી.