રાજકોટ
News of Saturday, 7th December 2019

યુવાનોના સમર્થનમાં રાજદીપસિંહ જાડેજા

પદવીદાન અને સેનેટનો બહીષ્કાર કરી ગેરહાજર રહ્યા

રાજકોટ, તા. ૭ : ગાંધીનગરમાં બેકાર યુવાનો આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે યુનિવર્સિટીના પદવીદાન સમારોહ અને સેનેટનો કોંગ્રેસના અગ્રણી અને સેનેટસભ્ય ડો.રાજદીપસિંહ જાડેજાએ બહિષ્કાર કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલ પદવી એનાયત અને સેનેટ સભામાં આજરોજ સેનટ મેમ્બર તરીકે હું બહિષ્કાર કરૂ છું. કેમ કે લાખો યુવાનો જયારે બિન સચિવાલયની પરીક્ષામાં થયેલ અન્યાય સામે રસ્તા પર આવી ન્યાયની માંગ કરતા હોય ગુજરાતના લાખો યુવાનો બેકાર હોય ત્યારે આવા પદવી એનાયતનો કોઈ મહત્વ રહેતુ નથી એથી ન્યાયની પુકાર કરતા યુવાનોના સમર્થનમાં આજના કાર્યક્રમનો હું બહિષ્કાર કરૂ છું અને ગુજરાત સરકારનો વિરોધ કરૂ છું.

(4:32 pm IST)