ઇવનીંગ પોસ્ટમાં કાલે 'જો તુમકો હો પસંદ' સંગીત સંધ્યા
ઘનશ્યામ રાવલ-સુરમંદિરના ગાયક કલાકારો સુમધુર ગીતો રજૂ કરશે
રાજકોટ, તા. ૭ : સામાજીક-સાંસ્કૃતિક પ્રવૃત્તિના કેન્દ્રસમા 'ઇવનીંગ પોસ્ટ' (જયુબેલી ગાર્ડન સામે) ખાતે આવતીકાલે તા. ૮ ને રવિવારે સાંજે પ-૩૦ વાગ્યે 'જો તુમકો હો પસંદ' સંગીત સંધ્યાનું સુમધુર આયોજન કરાયું છે.
સંગીત ક્ષેત્રે જાણીતા એવા ઘનશ્યામ રાવલ અને સુર મંદિર તથા સુરેશ મારૂ (નિવૃત આસી.પી.એસ.આઇ.) અને રમાબેન મારૂના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ સંગીતમય કાર્યક્રમમાં રાજુ ત્રિવેદી (મ્યુઝીકલ મેલોઝ) લાઇવ ઓરકસ્ટ્રાના સહારે શહેરના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો ઘનશ્યામ રાવલ, હીના કોટડીયા, હીતેશ ભટ્ટ, જીજ્ઞેશ દવે, માયા ભોજવાણી, મનીષ વ્યાસ, મુમતાઝ ખેતાણી વગેરે શ્રોતાઓને કર્ણપ્રિય એવા જુના-નવા ફિલ્મી ગીતો રજૂ કરી શ્રોતાઓને ડોલાવશે. આ કાર્યક્રમમાં તીરૂપતિ કુરિયરના આર.કે. શીયાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.