રાજકોટ
News of Friday, 7th December 2018

જામનગર રોડ ઉપર શેઠનગર-નંદનવન સોસાયટી સામે રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ગરકઃ કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે?

રાજકોટઃ જામનગર રોડ ઉપર માધાપર નજીક આવેલ નંદનવન અને શેઠનગર  સોસાયટી સામેની ફુટપાથ પાસેની ખુલ્લી મસમોટી ગટરમાં ગાય પડી જતા આસપાસના રહીશોના  ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ અંગે સ્થાનીક રહીશોએ એનીમલ હેલ્પલાઇનની મદદ લઇ ક્રેઇનથી ગાયને બહાર કઢાઇ હતી. નંદનવન અને શેઠનગરના રહીશોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર માધાપર ચોકથી સૈનિક સોસાયટી સુધીના મેઇન હાઇવે રોડ પર ઠેર-ઠેર ફુટપાથ પર આવેલ ગટરના ઢાંકણા ખુલ્લા હોય છાશવારે નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. મોટાભાગની ગટરોના ઢાંકણા ખુલ્લા હોય લોકોને ભારે તકેદારી રાખવી પડે છે. કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્ર વાહકો શેઠનગર અને નંદનવન સોસાયટીના સામે રોડ પર આવેલ ફુટપાથ પરની ખુલ્લી ગટરોના ઢાંકણા તાકીદે ફીટ કરે તેવી માંગણી ઉઠી છે.

(4:06 pm IST)