રાજકોટ
News of Friday, 7th December 2018

કેવડાવાડીમાં રોશન સોલંકીને 'સામુ કેમ જોવે છે ?' કહી અજીતસિંહ સહિતે માર માર્યો

અજીતસિંહ રાજપૂત તેનો ભાઈ અને ભત્રીજા સામે ગુનો

રાજકોટ, તા. ૭ :. કેવડાવાડીમાં પાનની દુકાને પાન ખાવા ગયેલા નેપાળી યુવાનને કેવડાવાડીના ત્રણ શખ્સોએ 'સામુ કેમ જોવે છે ?' કહી માર માર્યાની ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર એકતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો નેપાળી યુવાન રાત્રે કેવડાવાડી શેરી નં. ૨માં આવેલ ડીલક્ષ પાન નામની દુકાને પાન ખાવા ગયો હતો. બાદ દુકાન પાસે ઉભો હતો ત્યારે કેવડાવાડીમાં રહેતો અજીતસિંહ રાજપૂત તેનો ભાઈ જે સાહેબ નામથી ઓળખાય છે તેના પુત્ર સાથે ત્યાં ઉભા હતા. બાદ અજીતસિંહના ભાઈએ તેની પાસે આવી 'કેમ સામુ જોવે છે ?' કહી ગાળો આપતા રોશને ગાળો આપવાની ના પાડતા અજીતસિંહ સહિત ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને ધોકા વતી માર મારી હાથે તથા માથાના ભાગે ઈજા કરી નાસી ગયા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઈ જતા નેપાળી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે રોશન સોલંકીની ફરીયાદ પરથી ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ એએસઆઈ અમીતાબેન  બકુત્રાએ  તપાસ  આદરી છે.(૨-૮)

(3:38 pm IST)