News of Thursday, 6th December 2018
હળવદ પાસે અકસ્માતમાં ઘવાયેલા હરીભાઇ સોનાગરાનું રાજકોટમાં મોત
પાંચ દિવસ પહેલા હરીભાઇ મિત્રની વાડીએ જતા હતા ત્યારે અજાણ્યા વાહને ઠોકરે ચડાવ્યા'તા
રાજકોટ તા. ૬: હળવદ પાસે પાંચ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ હળવદમાં રહેતા હરીભાઇ મોહનભાઇ સોનાગરા (ઉ.વ.૩૮) ગત તા. ર/૧ર ના બપોરે પોતાની વાડીએથી તેના મિત્રની વાડીએ જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની શાંતિ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું મોત નિપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ડી. વી. બાલાસરા અને રાઇટર ભગીરથસિંહે પ્રાથમીક કાગળો કરી હળવદ મોકલ્યા છે.
(4:37 pm IST)