રાજકોટની ચારેય બેઠકો ઉપર પંજો અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે
ઈન્દ્રનીલ રાજયગુરૂની આગેવાનીમાં બાઈકરેલી : સમર્થકો જોડાયા
રાજકોટ : વિધાનસભાની ચૂંટણીને અનુંલક્ષીને રાજકોટ ખાતે ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા તેના મત વિસ્તારમાં ૧૫૦૦ થી વધુ બાઇક સાથે રેલી યોજાઇ હતી જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા. ઇન્દ્રનીલભાઇ ખુલ્લી જીપમાં નિકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઈન્દ્રનીલભાઈએ દાવા સાથે કહ્યું હુતં કે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતશે. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિધાનસભા ૬૯ ના તમામ વિસ્તારમાં ફર્યા હતા જે દરમિયાન અલગ અલગ જગ્યા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્દ્રનીલભાઇએ ફિ નિયંત્રણ, આરોગ્ય સેવાઓ, રાજકોટમાં પાણીની સમસ્યા, મોંદ્યવારી, બેરોજગારી, રાજકોટનો વિકાસ, ગરીબી, જીએસટી-નોટબંધી, કાયદો વ્યવસ્થા, રાજકોટને થયેલા અન્યાય વિશે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, રાજકોટના લોકો કોંગ્રેસને પસંદ કરે છે અને રાજકોટની ચારેય બેઠક પર પંજો જ જીતશે એટલું જ નહિં ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર બને છે તેમ જણાવ્યું હતું. ૧૫૦૦ જેટલા બાઇક અને ૫૦૦૦ જેટલા સમર્થકોની આ વિશાળ બાઇક રેલી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂની આગેવાનીમાં નીકળી હતી. રેસકોર્સથી શરૂ થયેલી આ બાઇક રેલી તમામ વિસ્તારમાં ફરી અમીન માર્ગ રેલવે ક્રોસીંગે પૂર્ણ થઇ હતી તેમ યાદીના અંતમાં જણાવાયું છે.