News of Thursday, 7th November 2019
બાબા તુલસીધાસ ધામ પરસાણાનગર ખાતે ગુરૂનાનક જન્મોત્સવનો પ્રારંભ
રાજકોટ તા. ૭ : બાબા તુલસીધાસ ધામ, પરસાણાનગર મેઇન રોડ ખાતે તા. ૪ થી તા. ૧૨ સુધી શ્રી ગુરૂનાનક સાહેબના ૫૫૦ માં જન્મોત્સવનું આયોજન થયુ છે. દરરોજ સવારે પ વાગ્યે પ્રભાત ફેરી, સાપ્તાહીક પાઠ, સવારે પ વાગ્યે શ્રી જપજી, સુખમની, ૧૦ વાગ્યે શબ્દકીર્તન, આરતી, સાંજે ૬ વાગ્યે રહેરાસ સાહેબ કથા કિર્તન અને આરતી થાય છે.
તા. ૧૨ ના ગુરૂનાનક જન્મોત્સવ નિમિતે સવારે ૪.૩૦ વાગ્યે પ્રભાતફેરી, બપોરે ૧૨ વાગ્યે શ્રી ભોગ સાહેબ, ૧ વાગ્યે શ્રી લંગર પ્રસાદ, સાંજે પ વાગ્યે સવારી (નગર કિર્તન), રાત્રે ૧૦ વાગ્યે શબ્દ કિર્તન, રાત્રે ૧.૨૦ વાગ્યે શ્રી ગુરૂનાનકજી પ્રકાશ ઉત્સવ ઉજવાશે. ધર્મપ્રેમીજનોએ પધારવા મહંત શ્રી શરણદાસ (કુંદનદાસ) શીતલદાસ ઉદાણી દ્વારા અનુરોધ કરાયો છે.
(4:32 pm IST)