માર્કેટીંગ યાર્ડમાં દુકાનમાં અને ભાવનગર રોડપર ફર્નિચર બનાવતા કારખાનામાં આગ
દુકાનમાં મમરા, ઘઉંનો લોટ, વેફર, પાપડ તથા ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયાઃ કારખાનામાં ફર્નિચર બનાવવાનો કાચો માલ બળી ગયો
રાજકોટ તા. ૭: માર્કેટીંગ યાર્ડમાં આવેલ જે.એચ. ટ્રેડર્સ નામની દુકાનમાં તેમજ ભાવનગર રોડ પર પર આવેલા ફર્નિચર બનાવવાના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.
મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડમાં આવેલી જ ે. એચ. ટ્રેડર્સ નામની દુકાનમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બનાવની જાણ થતા દુકાનના માલીક સાયરોજભાઇ ભગતે જાણ કરતા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાયટર સાથે ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં દુકાનમાં પડેલ મમતા, ઘઉંનો લોટ, વેફર, પાપડ, કરિયાણુ તથા ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયા હતા. આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકસાની જાણવા તપાસ થઇ રહી છે.
જયારે બીજા બનાવમાં ભાવનગર રોડ પર ભાગ્યોદય એસ્ટેટ પાસે આવેલા ધારા ફર્નિચર નામના ફર્નિચર બનાવવાના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ફર્નિચર બનાવવાનો કાચો માલ અને લાકડાની સીટો બળી ગઇ હતી. બનાવની જાણ થતા કારખાના માલીક પીયુષભાઇ દોશી સ્થળ પર પહોંચી ગયા હતા, આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકસાની જાણવા તપાસ થઇ રહી છે.