રાજકોટ
News of Friday, 7th October 2022

નરેન્‍દ્રભાઇના ૨૧ વર્ષના શાસનમાં દેશે વિકાસનો મંત્ર સાધ્‍યો : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૭ : ગુજરાતના શપથ ગ્રહણ કર્યા પછી દેશની ધુરા સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના ૨૧ વર્ષના શાસનમાં દેશે સારી પ્રગતિ કરી છે. સેવા અને વિકાસનો મંત્ર સાધી બતાવ્‍યો હોવાનું શુભેચ્‍છા પાઠવતા ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે દેશની સંસ્‍કૃતિ, આરોગ્‍ય, શિક્ષણ અને શાંતિના મશીહા બની રહેલ નરેન્‍દ્રભાઇએ દેશમાં ભાઇચારાની ભાવના કેળવી વિશ્વ ફલક ઉપર અમીટ છાપ ઉભી કરી છે. મેઇક ઇન ઇન્‍ડિયા સુત્ર સાર્થ કરી અનેક આયામો સિધ્‍ધ કર્યા છે. નવ યુવાનોને નવી દિશા આપી છે. તેઓ હજુ દેશની વધુ સેવા કરે અને ભારતને વિશ્વગુરૂના સ્‍થાને પહોંચાડે તેવી શુભેચ્‍છા ગોવિંદભાઇ પટેલે પાઠવી છે.

(3:31 pm IST)