રાજકોટ
News of Friday, 7th October 2022

નવધા કલ્‍ચરલ કલબની શનિવારે કલબ લોન્‍ચિંગ ઇવેન્‍ટ

જય વસાવડા દ્વારા એક નવા જ કાર્યક્રમની પ્રસ્‍તુતિઃ સુભાષ ભટ્ટ, તુષારીકા રાજગુરૂના વકતવ્‍ય

રાજકોટઃ નવધા કલ્‍ચરલ કલબની કલબ લોન્‍ચિંગ ઇવેન્‍ટ આગામી શનિવારે તા.૮ના યોજાયેલ છે

આ લોન્‍ચિંગ ઇવેન્‍ટમાં પ્રસિધ્‍ધ લેખક, વકતા અને નવધા કલ્‍ચરલ કલબ સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા શ્રીજય વસાવડા દ્વારા એક અલગ જ વિષય પર નવા કાર્યક્રમની પ્રસ્‍તુતિ થવાની છે. જય વસાવડા સાથે ઉમદા તત્‍વચિંતક શ્રીસુભાષ ભટ્ટ તથા વકતા-અભિનેત્રી શ્રીતુષારિકા રાજગુરુ આર્ટ એન્‍ડ હાર્ટ વિષય પર ચર્ચા કરશે.

ઉપરોકત ત્રણેય વકતાઓ જીવન અને કલા એકબીજા સાથે કેવી રીતે વણાયેલા છે અને કલાના વિવિધ સ્‍વરૂપો માનવ જીવનને ધબકતું રાખવામાં કેવા મદદરૂપ બની શકે છે તે વિશે રજૂઆત કરશે.

જીવનને સાંકળતા વિવિધ વિષયો પર અદ્દભુત અને સરળ શૈલીમાં પોતાના વિચારો રજૂ કરતા શ્રીસુભાષ ભટ્ટ તથા ટૂ઼ંકાગાળામાં ખ્‍યાતિ પ્રાપ્ત કરનાર વકતા અને અભિનેત્રી શ્રીતુષારિકા રાજગુરુ સાથે મળી ગુજરાતનું ગૌરવ એવા શ્રીજય વસાવડા જીવનમાં કલા અને કલામાં જીવનએ વિચાર મંત્રને આ કાર્યક્રમમાં એક અલગ જ અંદાજમાં રજૂ કરશે.

કાર્યક્રમ માણવા ઇચ્‍છતા શહેરીજનોએ (૯૦૮૧૨ ૪૪૪૪૧, ૯૦૮૧૨ ૪૪૪૪૨) રજીસ્‍ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયુ છે.

(3:29 pm IST)