રાજકોટ
News of Monday, 7th October 2019

રાજકોટ માધવ પાર્ક - અમી સોસાયટીની જય બાલાજી ગરબી મંડળઃ

રાજકોટઃ યુનિવર્સિટી રોડ ઉપર માધવપાર્ક તથા અમી સોસાયટીની 'જય બાલાજી ગરબી મંડળ'ની ૬૦ બાળાઓ આદ્યશકિત માં જગદંબાના પ્રાચિન ગરબા દ્વારા નવરાત્રીનું પર્વ ઉજવી રહેલ છે. સોસાયટીના રહીશો તેમજ અન્ય ભાવિકો દ્વારા બ્રાહ્મણોને દરરોજ લ્હાણી  અને મંડળના આયોજકો રણછોડભાઇ ખાંદરા , વિનુભાઇ ખાપરા, , અરવિંદભાઇ ભોરાણીયા, રમેશભાઇ પરમાર, ભીખાભાાઇ , રાજુભાઇ જાડેજા, મહાદેવભાઇ, રસિકભાઇ , મયંકભાઇ , વિવેકભાઇ , સચિન યુવાગ્રી, લાલાભાઇ તથા સંજયભાઇ વગેરેએ સુંદર વ્યવસ્થાપન કર રહેલ છે. ગરબી મંડળની બાળા ઓના ગરબાનું સંચાલન અંકિતા ખાપરા, અર્ચના ગોંડલીયા, હેતલ પંડ્યા  ,હિરલબેન ભોરાણીયા, અને હેરીબેન પાંભર  ખૂબજ જહેમતની કરી રહ્યા છે.

(3:43 pm IST)