રાજકોટ
News of Monday, 7th October 2019

બાલભવનમાં અર્વાચિન રાસોત્સવમાં ભુલકાઓને મોજ : દરરોજ વિજેતાઓને ઇનામ

રાજકોટ : નવરાત્રી અંતર્ગત બાલભવન દ્વારા બાળકો માટે અર્વાચીન દાંડીયા રાસનું અનેરૂ આયોજન કરાયુ છે. જાણીતુ સાઝ ઔર આવાઝ ઓરકેસ્ટ્રા ગ્રપુ બાળકો સાથે ધુમ મચાવી રહ્યુ છે. પ થી ૧૦ વર્ષનું એ - ગ્રુપ અને ૧૧ થી ૧૬ વર્ષનું બી - ગ્રુપ રોજના ગૃપવાઇઝ બોયઝ એન્ડ ગર્લ્સ એમ ૭૦ બાળકો વિજેતા જાહેર કરવામાં આવે છે. ઉપસ્થિત મહેમાનોના હસ્તે આ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે.

(3:42 pm IST)