સમસ્ત ખવાસ રાજપૂત સમાજ દ્વારા કાલે શસ્ત્રપૂજન
રાજકોટ, તા. ૭ : શ્રી સમસ્ત ખવાસ રાજપૂત સમાજ દેશળદેવ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા દશેરા શસ્ત્રપૂજન આવતીકાલે તા.૮ના મંગળવારે સવારે ૧૦ થી ૧૨ શ્યામનગર ૧/૩ દેશળદેવ હોલ, નાના મૌવા મેઈન રોડ, રાજનગર ચોક પાસે, રાજકોટ ખાતે યોજાયેલ છે.
આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ ચૌહાણ, સાવનભાઈ રાઠોડ, દેવસિંહભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર, પીન્ટુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ચૌહાણ, બલવીરભાઈ પરમાર, સત્યજીતભાઈ પરમાર, રાજભાઈ સોઢા, હીતુકાકા, અનીશ ચૌહાણ, સંદિપભાઈ જાદવ, અક્ષયભાઈ જાદવ, ધવલભાઈ ચૌહાણ, કેવીનભાઈ ચૌહાણ, રવિભાઈ રાઠોડ, હાર્દિકભાઈ સિંધવ, પ્રકાશભાઈ રાઠોડ, રાહુલભાઈ મકવાણા તથા સંસ્થાના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
શસ્ત્ર અને સાફા સાથે આવવાનુ રહેશે સાફા બાંધવાની વ્યવસ્થા વાડીએ કરવામાં આવી છે. ડ્રેશ કોડ : વ્હાઈટ ટી-શર્ટ, શર્ટ રહેશે.
આયોજનને સફળ બનાવવા દેશળદેવ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટના કાનાભાઈ ચૌહાણ - ૯૪૦૯૨ ૦૦૮૦૦, સાવનભાઈ રાઠોડ - ૮૧૬૦૦ ૦૧૯૦૬ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)