ટ્રાવેલ્સ એસો.ના પ્રશ્નો અંગે ડી.સી.પી.ને રજૂઆત
રાજકોટઃ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશન દ્વારા ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા સમક્ષ ટ્રાવેલ્સ એસોસીએશનનાં પ્રશ્નો જેવા કે, આર.ટી.ઓ.ની કનડગત, એસ.ટી.ડીવીઝન, ટ્રાફીક પોલીસનાં જુદા જુદા પ્રશ્નો જેવા કે, પાર્કીગ, પેસેન્જર્સ બાબતે તેમાં ટ્રાફીકનાં નિયમોનું પાલન વગેરે બાબતે ચર્ચા કરતા તમામ સભ્યોનાં પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા અને હવે પછી કોઇપણ જાતની ખોટી હેરાનગતિ નહિ થાય તેવી ખાત્રી આપી સહયોગ આપેલ હતો. રાજકોટ બસ ઓપરેટરોના જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવી આપવા માટે ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા સન્માન કરી આભાર વ્યકત કરાયો હતો. આ તકે રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના પ્રમુખ દશરથભાઇ જે.વાળા (ઉપાસના ટ્રાવેલ્સ), ઉપપ્રમુખ હારૂનભાઇ મેતર (ગુજરાત ટ્રાવેલ્સ), મંત્રી દિવ્યેશભાઇ ચોલેરા (મુન્નાભાઇ) (અભિષેક ટ્રાવેલ્સ) મહામંત્રી સિધ્ધરાજસિંહ ચૌહાણ (નિતા ટ્રાવેલ્સ), ખજાનચી ભાવેશભાઇ કનેરીયા વિગેરે બસ ઓપરેટરો હાજર રહ્યા હતા.